ટોચના સમાચાર

બેંગ્લુરુમાં RCBની જીતની ઉજવણીમાં ભાગદોડમાં 11 લોકોના મોત

બેંગ્લુરુ

બેંગાલુરુ : રોયલ ચેલેન્જ બેંગ્લુરુની વિક્ટરી પરેડ દરમિયાન ચિન્નાસ્વામી સ્ટેડિયમની નજીક અચાનક ભાગદોડ મચતા ૧૧ના કચડાઈના કચડાઈને મોત થયા છે અને ૫૦ જેટલા લોકો ઇજા પામ્યા છે. સ્ટેડિયમની બહાર આરસીબીના કેટલાય પ્રશંસક બેહોશ થઈ ગયા. ઇજાગ્રસ્તોને હોસ્પિટલ ભેગા કરવા એમ્બ્યુલન્સ મોકલવામાં આવી અને કેટલાય લોકોએ એકબીજાની મદદ કરી.  કર્ણાટકના મુખ્યપ્રધાન સિદ્ધારમૈયાએ આ અંગે શોકની લાગણી વ્યક્ત કરી હતી અને જણાવ્યું હતું કે માંડ ૩૫થી ૪૦ હજારની ક્ષમતા ધરાવતા ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં બેથી ત્રણ લાખ લોકો આવી ગયા હતા. અમને કલ્પના પણ ન હતી કે આટલી ભીડ આવી શકે.  હજારોની સંખ્યામાં લોકો આવ્યા હતા અને ભીડ નિરંકુશ થતાં આ ઘટના બની હતી. ઇજાગ્રસ્તોમાં કેટલાયની હાલત ગંભીર છે.

SFN

24x7 નવીનતમ સમાચાર અપડેટ્સ રાજકારણ, પોલીસ, ગુના, શિક્ષણ અને અન્ય 📡 ટ્રેન્ડિંગ ન્યૂઝ • વાયરલ સ્ટોરીઝ • સ્થાનિકથી વૈશ્વિક 🌍 🎯 ઝડપી | 🔥 વાસ્તવિક | #સૌરાષ્ટ્ર ફર્સ્ટ ન્યુઝ

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!